નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેર વચ્ચે ભારતીય નેવીના 21 જવાનો કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. આ બધા જવાનોને મુંબઇની નેવી હોસ્પિટલમાં ખસેડાયા છે. ભારતીય નેવીમાં કોરોના સંક્રમણનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે. જ્યારે ઈન્ડિયન આર્મીમાં કોરોનાના કેસ અગાઉ જોવા મળ્યા છે. ANIની ખબર મુજબ નેવીના INS એઁગ્રે બેસ પર કોરનાનો પહેલો મામલો 7 એપ્રિલના રોજ સામે આવ્યો હતો. નેવીના અધિકારીએ જાણકારી આપી છે કે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા કર્મચારીઓની પણ કોરોના તપાસ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lockdown દરમિયાન કેટલીક નવી છૂટછાટની થઈ જાહેરાત, જાણો તેના વિશે


મળતી માહિતી મુજબ ભારતીય નેવીના જે જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓને હાલ મુંબઇની નેવી હોસ્પિટલ આઈએનએચએસમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો કે આ બધા વચ્ચે એ વાતની પુષ્ટિ  થવાની બાકી છે કે નેવી શિપ પર તૈનાત કોઈ જવાન કે ઓફિસમાં તો કોરોના સંક્રમણ નથી ફેલાયો ને. 


ભારતીય આર્મીના 8 જવાનોમાં પણ કોરોનાનો ચેપ
આર્મી જનરલ એમએમ નરવણેએ માહિતી આપી હતી કે આર્મીમાં કુલ મળીને કોરોનાના 8 કેસ નીકળ્યા છે. જેમાં 2 ડોક્ટર અને એક નર્સ પણ સામેલ છે. તેમણે એણ પણ કહ્યું કે જે વાનો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં નથી આવ્યાં તેમને યુનિટમાં પાછા લાવવામાં આવી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube